સુપરસ્ટાર શાહરૂખ ખાન માટે બોલીવુડના ‘બાદશાહ’ બનવું એટલું સરળ ન હતું. તેની પાછળ શાહરુખની દિવસ-રાત મહેનત અને લગન છે, જ્યાર પછી તેણે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મોટું નામ કમાવ્યું છે. આજે શાહરૂખ ખાનના કરોડો ચાહકો છે
અને દરેક વ્યક્તિ તેમના સંઘર્ષના દિવસોની કહાનીથી પ્રેરિત થાય છે. સાથે જ આજના યુવા શાહરૂખ ખાનને પોતાના આઈડલ માને છે અને તેમની જેમ સફળતા મેળવવા ઈચ્છે છે.
જો કે શાહરૂખના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો જ્યારે તે સંપૂર્ણ રીતે તૂટી ચૂક્યા હતા. ગરીબીથી પરેશાન થઈ ગયા હતા અને તેના માતા-પિતાની છાયા પણ ઉઠી ગઈ હતી. જોકે છતાં પણ શાહરૂખ ખાને ક્યારેય હાર નથી માની અને મહેનત કરતાં ગયા અને એક દિવસ તે બોલીવુડના ‘કિંગ’ બની ગયા.
એક ઈંટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાને કહ્યું હતું કે તે ક્યારેય પણ તેના પિતાની જેમ નથી મરવા ઈચ્છતા. ખરેખર શાહરૂખ ખાનના પિતા મીર તાજ મોહમ્મદ ખાનના નિધન પછી શાહરૂખ ખાનના પરિવારને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
એટલું જ નહીં પરંતુ તેની બહેન શહનાઝ લાલરૂખ ખરાબ રીતે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી અને આવી સ્થિતિમાં ઘરની સમગ્ર જવાબદારી શાહરુખના ખભા પર આવી ગઈ હતી. એક ઈંટરવ્યૂ દરમિયાન શાહરુખે તેના પિતાને ‘સૌથી સફળ ફેલિયર’ ગણાવ્યા હતા. શાહરૂખે કહ્યું હતું કે, “પિતાના નિધન પછીથી જ તેની અંદર એક ખાલીપન છે. એક બેચેની છે. કંઈક વિચિત્ર છે જેને તે એક્ટિંગથી ભરવાનો પ્રયત્ન કરે છે.”
શાહરૂખે કહ્યું હતું કે તેના પિતા કેન્સરથી પીડિત હતા. જ્યારે તેના પિતાનું નિધન થયું હતું ત્યારે તે માત્ર 15 વર્ષના હતા અને તે ખરાબ રીતે તૂટી ગયા હતા. પિતાના નિધન પછી ડ્રાઈવરે તેના મૃતદેહને ઘરે લાવવા માટે ના પાડી દીધી હતી.
આવી સ્થિતિમાં શાહરૂખ જ કાર ચલાવીને પિતાના મૃતદેહને ઘર સુધી લાવ્યા. જો કે શાહરૂખને ડ્રાઈવિંગ આવડતું ન હતું પરંતુ છતાં પણ તે જેમ તેમ તેના પિતાના મૃતદેહને ઘરે લાવ્યા હતા. આ સમય દરમિયાન ગાડીમાં તેની માતા પણ હતી તેથી તેની માતાએ પૂછ્યું કે તેણે ડ્રાઈવિંગ ક્યારે શીખ્યું? આવી સ્થિતિમાં શાહરૂખે જવાબમાં કહ્યું હતું કે હમણાં જ.
આ સિવાય શાહરૂખે જણાવ્યું કે તેની બહેન તેના પિતાના નિધનથી ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હતો. તે ગંભીર રીતે ડિપ્રેશનમાં ચાલી ગઈ હતી, આવી સ્થિતિમાં તેણે પોતાને મજબૂત રાખ્યા હતા. શાહરૂખ ખાનનું કહેવું છે કે તેને કોઈ પણ પ્રકારનું ડિપ્રેશન ન થાય તેથી તે એક્ટિંગ કરે છે.
શાહરુખે એમ પણ કહ્યું હતું કે, તેને તેના પિતા પર ગર્વ હતો પરંતુ તે એક અજાણ બનીને નથી મરવા ઈચ્છતા કારણ કે તેના પિતાની અંદર ક્યાંકને ક્યાંક નિષ્ફળતાને લઈને ભય હતો.
જણાવી દઈએ કે, શાહરૂખ ખાનનો જન્મ 2 નવેમ્બર 1965 ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમના પિતાનું નામ મીર તાજ મોહમ્મદ ખાન હતું તો માતાનું નામ લતીફ ફાતિમા હતું. શાહરુખના પિતા પેશાવર પાકિસ્તાનના હતા તો તેની માતા હૈદરાબાદી હતી. કહેવાય છે કે શાહરૂખના પિતા સ્વતંત્રતા સેનાની અને વકીલ હતા જે મૌલાના અબુલ કલામ આઝાદ સામે ચૂંટણી પણ લડ્યા હતા પરંતુ તેમાં તેની હાર થઈ હતી.
જણાવી દઈએ કે, શાહરૂખ ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘દિલ આશના હૈ’ દ્વારા કરી હતી, પરંતુ તેમને સૌથી વધુ ઓળખ ફિલ્મ ‘દીવાના’ દ્વારા મળી. એટલું જ નહીં આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને ‘બેસ્ટ ન્યૂ એક્ટર એવોર્ડ’થી પણ નવાઝવામાં આવ્યા હતા.
જો કે આ પહેલા શાહરૂખ ખાન ટીવી સિરિયલ ‘ફૌજી’માં કામ કરી ચૂક્યા હતા. શાહરુખ ખાનને વર્ષ 2005 માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. આ સિવાય શાહરૂખ ખાનને ઘણા એવોર્ડ પણ મળી ચૂક્યા છે. ઘણા ઓછા લોકો જાણે છે કે શાહરૂખના ‘કિંગ ખાન’ની ખ્યાતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં છે.
Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..
ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે